સમાજ ના ડખા
સમાજ એટલે શું? સમાજની જરૂર કેમ છે, સમાજ બનાવવો કેમ પડ્યો? સંજય ભાટિયા ના જયભીમ આધુનિક યુગમાં સમાજ એટલે પરિવર્તન ની દિશા તરફ આગળ વધી ને પોતાના લોકોનું હિત કરવું તથા આવનારી ભવિષ્યની પેઢીને બાબાસાહેબે આપેલા સૂત્ર પ્રમાણે શિક્ષિત કરવી અને મજબૂત કરવી એનો હાથ પકડી ઉપર લાવવાનો સતત પ્રયત્ન કરવો એ સમાજનો પ્રથમ પાયો છે અને આ પાયાનું રોપણ આપણા મસીહા એવા બાબાસાહેબ એ કરેલું છે તેમણે સતત અભ્યાસ કરી ને આપણો વિચાર કરી આપણા ભવિષ્યનો વિચાર કરીને આપણને અંધકારની ગર્તામાંથી દૂર એક ઝળહળતા પ્રકાશ તરફ લાવવાનો સતત પ્રયાસ કરેલો છે અને તે પ્રકાશની જ્યોત એટલે આજના ભાટિયા સાહેબ, પરમાર સાહેબ,રાઠોડ સાહેબ, ચૌહાણ સાહેબ, ચાવડા સાહેબ વાઘેલા સાહેબ, સોલંકી સાહેબ, મકવાણા સાહેબ..... વગેરે વગેરે આપણા સમાજના સાહેબો .. બાબાસાહેબ ના પ્રયત્નોના કારણે કહેવાણા અને આ સાહેબ લોકોને સાહેબ કેમ કહેવાય કારણ કે આ લોકો સતત પરિવર્તનની દિશામાં રહીને શિક્ષણને પ્રાવધાન આપીને વિચારશીલ રહી સમાજને યોગ્ય દિશા તરફ વાળવના તથા બાબા સાહેબે જે અધૂરું કામ મૂક્યું છે તેને પૂરું કરવું..... જેમકે સૌ પ્રથમ તો મનુવાદ નો નાશ કરવો તથા મનુવાદને પો...